-->

Join Group

Ad Unit (Iklan) BIG

સ્વરોજગારી માટે સ્ટેશનરી ની દુકાન બનાવવા ₹ 1 લાખ ની સહાય મળશે

સ્વરોજગારી યોજના દ્વારા આદિજાતિના લોકોની આર્થીક સ્થિતિ સારી ન હોવાને કારણે તેમ જ ખૂબ નબળી હોવાને કારણે બેન્કો તેમજ અન્ય સંસ્થાઓ પાસેથી ઊંચા વ્યાજના દરે લોન લેવામાં મુશ્કેલી પડતી હોવાથી આદિજાતિના ઇસમોને સ્વરોજગારી યોજના હેઠળ સ્ટેશનરી દુકાન ના હેતુ માટે ₹ 100,000 ની લોન આપવાથી જીવન ધોરણ ઉંચું લાવી શકે અને પગભર થઇ શકે.

સ્વરોજગારી યોજનાનો લાભ કોણ લઈ શકે?

  • સ્વરોજગારી યોજનાનો લાભ લેવા માટે નીચે મુજબ પાત્રતા ધરાવતા હોવા જોઈએ:અરજદાર આદિજાતિનો હોવા અંગેનો દાખલો/પ્રમાણપત્ર મદદનીશ કમીશ્નરશ્રી તકેદારીનું રજુ કરવાનું રહેશે.
  • લાભાર્થીની ઉંમર ૧૮ વર્ષથી ઓછી તથા ૫૫ વર્ષથી વધુ ન હોવી જોઇએ.(ચૂંટણીકાર્ડની તેમજ આધારકાર્ડની નકલ ફરજિયાત રજૂ કરવાની રહેશે)
  • લાભાર્થીએ જે સ્ટેશનરીની દુકાન ના હેતુ માટે (ધંધો/રોજગાર) ધીરાણની માંગણી કરેલ હોય તેની જાણકારી અને આ અંગે તાલીમ લીધી હોવી જોઇશે. આ અંગેનો સ્ટેશનરીની મોટી દુકાનમાં અગર કોઇ બુક સેલરના ત્યાં કામ કર્યા નો અનુભવ હોવો જોઇશે અને તે અંગેના તાલીમ/અનુભવ અંગેનું આધારભૂત પ્રમાણપત્ર રજુ કરવાનું રહેશે
  • અરજદારની કૌટુમ્બિક વાર્ષિક આવક ગ્રામ્ય વિસ્તાર માટે રૂ. ૧,૨૦,૦૦૦/- તેમજ શહેરી વિસ્તાર માટે આવક મર્યાદા રૂ.૧,૫૦,૦૦૦ થી વધતી ન હોય તેવાને આ યોજનાનો લાભ મળશે.

સ્વરોજગારી યોજના માં લાભાર્થીને કેટલો લાભ મળશે?

  • આ યોજનામાં લાભાર્થીને રૂપિયા એક લાખ ની મર્યાદામાં લોન આપવામાં આવે છે.

લાભાર્થી ફાળો

  • આ યોજનામાં લાભાર્થી ફાળો કુલ ધિરાણના ૧૦ ટકા પ્રમાણે ભરવાનો રહે છે.

સ્વરોજગારી યોજના માં વ્યાજનો દર કેટલો છે?

  • સ્વરોજગારી યોજના માં વાર્ષિક ૪ ટકા તેમજ વિલંબિત ચુકવણી માટે વધારાના ૨ ટકા દંડનીય વ્યાજ ચુકવવાનું રહેશે

સ્વરોજગારી યોજના માં લોન પરત કરવાનો સમય ગાળો કેટલો આપવામાં આવે છે?

  • ૨૦ ત્રિમાસિક હપ્તામાં વ્યાજ સહિત ભરપાઇ કરવાની રહેશે.
  • લોન નિયત સમય કરતાં વહેલી ભરપાઇ કરવાની અરજદારને છૂટ રહેશે.

સ્વરોજગારી યોજના માં અરજી ફોર્મ કોના દ્વારા મોકલવી?

  • આદિજાતિના વિસ્તારના અરજદારે જે તે વિસ્તારના પ્રાયોજના વહીટદારશ્રીની ભલામણથી દરખાસ્ત મોકલવાની રહેશે.
  • જયારે બિન આદિજાતિના અરજદારે મદદનીશ કમિશ્નરશ્રી આદિજાતિ ધ્વારા દરખાસ્ત કોર્પોરેશનને મોકલવાની રહેશે.
  • સ્વરોજગારી યોજના નું અરજી ફોર્મ ક્યાંથી મેળવવું?જયારે બિન આદિજાતિના અરજદારે મદદનીશ કમિશ્નરશ્રી આદિજાતિ ધ્વારા દરખાસ્ત કોર્પોરેશનને મોકલવાની રહેશે.
  • જે તે આદિજાતિ વિસ્તારના પ્રાયોજના વહીટદારશ્રીની કચેરી ગુજરાત આદિજાતિ વિકાસ કોર્પોરેશન અથવા કોર્પોરેશનની વેબ સાઇટ https:// adijatinigam.gov.in પરથી મેળવી શકાશે.

Self Employment yojana

અગત્યની લીંક

કોર્પોરેશનની વેબ સાઇટClick here
Home pageClick here
Join our whatsapp Groupclick here

ઉપર જણાવેલ માહિતી અંગે કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટમાં જણાવવું.

Related Posts

Subscribe Our Newsletter