-->

Join Group

Ad Unit (Iklan) BIG

યુનિટ 4 અંગ્રેજ સમયનાં શહેરો, ગૃહઉદ્યોગો અને ઉદ્યોગો

યુનિટ 4 અંગ્રેજ સમયનાં શહેરો, ગૃહઉદ્યોગો અને ઉદ્યોગો

એકમ : 4 અંગ્રેજ સમયનાં શહેરો, ગૃહઉદ્યોગો અને ઉદ્યોગો

સ્વાધ્યાયના પ્રશ્નો

પ્રશ્ન 1. નીચેના પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં લખો :

(1) અંગ્રેજ શાસન દરમિયાન વિકાસ પામેલાં કોઈ પણ ત્રણ શહેરોનાં નામ જણાવો.
ઉત્તર : અંગ્રેજ શાસન દરમિયાન વિકાસ પામેલાં ત્રણ શહેરોનાં નામ આ પ્રમાણે છે : (1) કોલકાતા (2) ચેન્નઈ અને (3) મુંબઈ

(2) ભારતમાં સૌપ્રથમ રેલવે લાઇન કયાં બે શહેરો વચ્ચે શરૂ થઈ હતી?
ઉત્તર : ભારતમાં સૌપ્રથમ રેલવે લાઇન મુંબઈ અને થાણા વચ્ચે શરૂ થઈ હતી.

(3) નવી દિલ્લીનું નિર્માણ અંગ્રેજકાળમાં કયા પહાડી વિસ્તારમાં શરૂ થયું હતું?
ઉત્તર : અંગ્રેજકાળમાં નવી દિલ્લીનું નિર્માણ જૂની દિલ્લીથી દક્ષિણમાં આવેલા રાયસીન પહાડી વિસ્તારમાં શરૂ થયું હતું.

(4) ભારતમાં સૌપ્રથમ કાપડ મિલ ક્યાં શરૂ થઈ હતી?
ઉત્તર : ભારતમાં સૌપ્રથમ કાપડ મિલ (ઈ. સ. 1854માં) મુંબઈ શહેરમાં શરૂ થઈ હતી.

પ્રશ્ન 2. નીચેના પ્રશ્નોના ઉત્તર લખો :

(1) અંગ્રેજ શાસનની શરૂઆતમાં ભારતીય ઉદ્યોગોની સ્થિતિ જણાવો.
ઉત્તર : ભારતમાંથી સસ્તી કિંમતે ખરીદેલો કાચો માલ ઇંગ્લેન્ડ અને અન્ય યુરોપીય દેશોમાં વેચીને બ્રિટિશ કંપનીને મોટો નફો થતો હતો. એ નફામાંથી ઇંગ્લેન્ડના ઉદ્યોગોનો વિકાસ થવા લાગ્યો. ભારતના ભોગે ઇંગ્લેન્ડને સમૃદ્ધ બનાવવા માટે અંગ્રેજોએ વિવિધ રીતરસમો અપનાવીને ઈ. સ. 1818 સુધીમાં સમગ્ર ભારત પર પોતાની રાજકીય સત્તા સ્થાપી દીધી. ઔદ્યોગિક ક્રાંતિને લીધે ઇંગ્લેન્ડમાં વિકસેલા ઉદ્યોગો માટે અંગ્રેજોએ ભારતને કાચા માલનું સંસ્થાન અને તૈયાર માલના વેચાણ માટેનું વિશાળ બજાર બનાવી દીધું. પરિણામે અંગ્રેજ શાસનની શરૂઆત થતાં ભારતના સુતરાઉ કાપડ, રેશમી કાપડ, શિલ્પ અને ધાતુની વસ્તુઓ, ગરમ મરી-મસાલા વગેરે પરંપરાગત ઉદ્યોગો પડી ભાંગ્યા. અંગ્રેજોની આર્થિક શોષણનીતિ અને ભેદભાવભરી જકાતનીતિને કારણે ભારતના ગૃહઉદ્યોગો અને વેપાર-ધંધા પડી ભાંગ્યા. ભારતનો વેપાર અંગ્રેજોના હાથમાં ચાલ્યો ગયો. એક સમયનું ગૃહઉદ્યોગો અને હસ્ત-ઉદ્યોગોથી ધમધમતું સમૃદ્ધ ભારત અંગ્રેજોના શાસનમાં ગરીબી, બેકારી અને ભૂખમરાથી ઘેરાઈ ગયું.

(2) અંગ્રેજ શાસન દરમિયાન ભારતમાં કાપડ ઉદ્યોગનો વિકાસ જણાવો.
ઉત્તર : અંગ્રેજ શાસન દરમિયાન ભારતમાં શરૂઆતમાં કાપડ ઉદ્યોગ મહારાષ્ટ્ર અને ગુજરાતમાં સ્થપાયો. ભારતમાં સૌપ્રથમ કાપડની મિલ ઈ. સ. 1854માં મુંબઈમાં સ્થપાઈ હતી. ગુજરાતમાં 30 મે, 1861માં અમદાવાદમાં સુતરાઉ કાપડની પહેલી મિલ શ્રી રણછોડલાલ છોટાલાલ રેંટિયાવાળાએ સ્થાપી હતી. ભારતમાં મુંબઈ પછી અમદાવાદ સુતરાઉ કાપડ ઉદ્યોગનું બીજું સૌથી મોટું ઉત્પાદક શહેર બન્યું. ગ્રેટબ્રિટનના માન્ચેસ્ટર શહેરના કાપડના ધમધમતા ઉદ્યોગની જેમ અમદાવાદમાં પણ કાપડ ઉદ્યોગ ખૂબ મોટા પાયે વિકસ્યો હતો. તેથી અમદાવાદને ‘ભારતના માન્ચેસ્ટર’ની ઓળખ (ઉપમા) મળી હતી. અમદાવાદમાં કાપડની મિલ સ્થપાયા પછી કાપડ ઉદ્યોગ દેશના જુદા જુદા ભાગોમાં વિકસ્યો. આજે કોઇમ્બતૂર, મદુરાઈ, સોલાપુર, ચેન્નઈ, પુદુચ્ચેરી, કાનપુર, કોલકાતા, પાનીપત, લુધિયાના વગેરે શહેરોમાં કાપડ ઉદ્યોગ સ્થપાયો છે.

અંગ્રેજ શાસન પહેલાં ભારતમાં સ્વદેશી કાપડની કલા જીવંત હતી. ભાતીગળ મનમોહક ભાતવાળી સાડીઓની કિનારી બનાવવાનું જટિલ વણાટકામ મહારાષ્ટ્રમાં સોલાપુર અને તમિલનાડુમાં મદુરાઈ ખાતે થતું હતું. અંગ્રેજ શાસન દરમિયાન ભારતમાં કાપડ ઉદ્યોગને તેમજ કાપડવણાટના કારીગરોને અનેક મુશ્કેલીઓ વેઠવી પડી હતી. ભારતનું કાપડ માનવનિર્મિત હોવાથી તેનું ઉત્પાદન મોંઘું બનતું હતું, જ્યારે બ્રિટનનું કાપડ યંત્રનિર્મિત હોવાથી તે બજારમાં સસ્તા ભાવે વેચાતું હતું.

બેંગલુરુમાં ‘ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ સાયન્સ’ નામની સંસ્થાની સ્થાપના થતાં લોખંડ-પોલાદના ઉદ્યોગને નવી દિશા મળી હતી. ફૂલકી, બરહાનપુર, ભદ્રાવતી, ભિલાઈ, દુર્ગાપુર, બર્નપુર, બોકારો, રૂરકેલા, વિશાખાપટ્ટનમ, સાલેમ વગેરે સ્થળોએ લોખંડ-પોલાદનાં કારખાનાં શરૂ થયાં. આમ, પ્રથમ વિશ્વયુદ્ધ પછી ભારતમાં ધીમે ધીમે લોખંડ-પોલાદના ઉદ્યોગનો વિકાસ થયો.

મહાત્મા ગાંધીએ સ્વાતંત્ર્ય ચળવળના ભાગરૂપે સ્વદેશી આંદોલન શરૂ કરતાં ભારતના ગ્રામોદ્યોગો, હાથ કાંતણ, હાથવણાટ, કુટીર ઉદ્યોગો, હુન્નર ઉદ્યોગો વગેરેને ઉત્તેજન મળ્યું. પરિણામે કાપડ ઉદ્યોગનો વિકાસ થયો.

(3) પ્રથમ વિશ્વયુદ્ધ પછી ભારતના લોખંડ-પોલાદ ઉદ્યોગના વિકાસ વિશે જણાવો.
ઉત્તર : પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન ઉત્પાદનોની જરૂરિયાતો વધતાં ભારતમાં ઓદ્યોગિક વિકાસને વેગ મળ્યો. ઈ. સ. 1911માં જમશેદપુર તાતાએ ઝારખંડ રાજ્યમાં સુવર્ણરેખા અને ખરકઈ નદીઓના સંગમ નજીક સાકચી (હાલનું જમશેદપુર) માં લોખંડ પોલાદનું સૌપ્રથમ કારખાનું સ્થાપ્યું. આ કારખાનાની સ્થાપના થતાં જ ભારતમાં લોખંડ-પોલાદનાં કારખાનાં શરૂ થયાં.

પ્રશ્ન 3. (અ) નીચે આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો :

(1) બ્રિટિશ રાજવીને મુંબઈ ટાપુ દહેજમાં કોણે આપ્યો હતો?

(A) ફ્રેન્ચોએ

(B) પોર્ટુગીઝોએ

(C) મુઘલોએ

(D) મરાઠાઓએ

જવાબ : (B) પોર્ટુગીઝોએ

(2) ‘ફૉર્ટ વિલિયમ’ કિલ્લો પાછળથી કયા શહેર તરીકે વિકાસ પામ્યો હતો?

(A) દિલ્લી

(B) ચેન્નઈ

(C) મુંબઈ

(D) કોલકાતા

જવાબ : (D) કોલકાતા

(3) કયા શહેરને ભારતનું ‘માન્ચેસ્ટર’ કહેવામાં આવતું?

(A) અમદાવાદ

(B) નાગપુર

(C) સોલાપુર

(D) સાંગલી

જવાબ : (A) અમદાવાદ

(4) કઈ સંસ્થાની સ્થાપના થવાથી ભારતમાં લોખંડ-પોલાદ ઉદ્યોગને નવી દિશા મળી હતી?

(A) ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ આર્ટ્સ

(B) ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ મૅનેજમેન્ટ

(C) ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ સાયન્સ

(D) ઇન્ડિયન કૉમર્શિયલ ઇન્સ્ટિટ્યૂટ

જવાબ : (C) ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ સાયન્સ

પ્રશ્ન 3. (બ) જોડકાં જોડો :

વિભાગ “અ”
(1) લોખંડ-પોલાદ ઉદ્યોગ

(2) કાપડ ઉદ્યોગ

(3) ફૉર્ટ સેન્ટ જ્યૉર્જ

(4) ફૉર્ટ વિલિયમ

વિભાગ “બ”

(A) કોલકાતા

(B) જયપુર

(C) જમશેદપુર

(D) અમદાવાદ

(E) ચેન્નઈ

જવાબ :

(1) લોખંડ-પોલાદ ઉદ્યોગ – (C) જમશેદપુર

(2) કાપડ ઉદ્યોગ – (D) અમદાવાદ

(3) ફૉર્ટ સેન્ટ જ્યૉર્જ – (E) ચેન્નઈ

(4) ફૉર્ટ વિલિયમ – (A) કોલકાતા

Related Posts

Subscribe Our Newsletter