-->

Join Group

Ad Unit (Iklan) BIG

ધોરણ ૮ વિજ્ઞાન અને ટેકનોલોજી સત્ર ૨ પ્રકરણ ૧૦ તરૂણાવસ્થા તરફ PART 3

ધોરણ ૮ વિજ્ઞાન અને ટેકનોલોજી સત્ર ૨ પ્રકરણ ૧૦ તરૂણાવસ્થા તરફ PART 3





પ્રકરણ ૧૦ તરૂણાવસ્થા તરફ
59.બાળકના લિંગનિશ્ચયન માટેનો સંદેશ કઈ રચનામાં હોય છે?
ઉત્તર : ફલિત અંડકોષ ના રંગસૂત્રોમાં

60.રંગસૂત્રોનું સ્થાન જણાવો.
ઉત્તર : પ્રત્યેક કોષનું કોષકેન્દ્ર

61.મનુષ્યના દરેક કોષમાં કેટલાં રંગસૂત્રો હોય છે?તેમાંથી લિંગી રંગસૂત્રો કેટલાં હોય છે?
ઉત્તર : મનુષ્યના દરેક કોષમાં કોષકેન્દ્રમાં 23 જોડ રંગસૂત્રો હોય છે તેમાં 2 રંગસૂત્ર ( 1 જોડ ) લિગી રંગસૂત્રો હોય છે.

62.સ્ત્રીઓમાં બે____ રંગસૂત્રો તથા પુરુષોમાં એક____ રંગસૂત્ર અને એક____ રંગસૂત્ર હોય છે.
ઉત્તર : X,X,Y

63. અંડકોષમાં માત્ર____પ્રકારનો રંગસૂત્રો હોય છે.
ઉત્તર : x

64. શુક્રકોષો બે પ્રકારના હોય છે. (✔ કે X)
ઉત્તર : ✔

65. આપણા દેશમાં છોકરીઓ માટે લગ્નની ઉંમર 18 વર્ષની છે,શા માટે?
ઉત્તર : તરુણાવસ્થા લગભગ 11 વર્ષથી પ્રારંભ થઈને 18 કે 19 વર્ષ સુધીની ઉંમર સુધી રહે છે.લગભગ 18 વર્ષની ઉંમરે શ્રી માનસિક તેમજ શારીરિક રૂપે માતા બનવા માટે પરિપક્વ અને સશક્ત બને છે.તરુણાવસ્થામાં તરુણી માતૃત્વ ધારણ કરે તો માતા અને સંતાન બંનેને સ્વાથ્ય સંબંધિત સમસ્યાઓ નડી શકે છે.આથી,સરકારે સ્ત્રી માટે 18 વર્ષની ઉંમર લગ્ન માટે નક્કી કરી છે.જેથી સ્ત્રીને માતૃત્વ સંબંધિત તકલીફો ઓછી પડે.

66.જન્મ પહેલાં શિશુના લિંગનું નિશ્ચયન તેના પિતાના લિંગી રંગસૂત્રો દ્વારા થાય છે.(✔ કે X)
ઉત્તર : ✔

67.પિટ્યુટરી ગ્રંથિ____ માં આવેલી છે.
ઉત્તર : મગજ

68.મનુષ્યની અંતઃસ્ત્રાવી ગ્રંથિઓનાં નામ જણાવો.
ઉત્તર : મનુષ્યની અંત:સ્ત્રાવી ગ્રંથિઓમાં પિટ્યુટરી ગ્રંથિ,થાઇરોઇડ ગ્રંથિ,એડ્રિનલ ગ્રંથિ,સ્વાદુપિંડ,અંડપિંડ અને શુક્રપિંડનો સમાવેશ થાય છે.

69.થાઇરોક્સિન અંતઃસ્ત્રાવની ઊણપથી કયો રોગ થઈ શકે?
(A) મધુપ્રમેહ
(B) કમળો
(C) ગોઇટર
(D) એક પણ નહીં
ઉત્તર : (C) ગોઇટર

70.થાઇરોકિસન અંતઃસ્ત્રાવ માટે કયું ખનિજતત્ત્વ જરૂરી છે?
ઉત્તર :આયોડિન

71. સ્વાદુપિંડની અગત્યતા જણાવો.
ઉત્તર : સ્વાદુપિંડ એક અંતઃસ્ત્રાવી ગ્રંથિ છે.જે ઇસ્યુલિન નામના અંતઃસ્રાવનો સ્ત્રાવ કરે છે.ઇસ્યુલિન શરીરમાં ગ્લુકોઝ (શર્કરા) ના પ્રમાણનું નિયમન કરે છે.ઇસ્યુલિનના અભાવમાં મધુપ્રમેહ (ડાયાબિટીસ) નો રોગ થાય છે.

72. મધુપ્રમેહને અસર કરતો અંતઃસ્ત્રાવ જણાવો.
ઉત્તર : ઇસ્યુલિન

73. રુધિરમાં ક્ષારની માત્રાને સંતુલિત કરતો અંતઃસ્ત્રાવ કયો છે?
ઉત્તર : એડ્રિનાલીન

74.થાઇરોઈડ અને એડ્રિનલન ગ્રંથિઓ_____ગ્રંથિ દ્વારા સ્ત્રવિત અંતઃસ્ત્રાવો ના માધ્યમ દ્વારા મળતા આદેશ અનુસાર અંતઃસ્ત્રાવ મુક્ત કરે છે.
ઉત્તર : પિટ્યુટરી

75.નીચેની ગ્રંથિઓ કયો અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરે છે,તે જણાવી તેમનું કાર્ય જણાવો?
(1) પિટ્યુટરી ગ્રંથિ :

ઉત્તર : પિટ્યુટરી ગ્રંથિમાંથી ઉત્પન્ન થતો વૃદ્ધિ અંતઃસ્ત્રાવ વ્યક્તિમાં સામાન્ય વૃદ્ધિ પ્રેરે છે. TSH અને ACTH જેવા પિટ્યુટરી અંતઃસ્ત્રાવ થાઈરોઈડ અને એડિનલ ગ્રંથિને તેમના અંતઃસ્ત્રાવો મુક્ત કરવા આદેશ આપે છે. અને જાતીય અંતઃસ્રાવોનું નિયમન કરે છે.

(2) થાઈરોઈડ ગ્રંથિ :
ઉત્તર : થાઇરોઇડ ગ્રંથિ ગળામાં આવેલી છે.થાઈરોઇડ ગ્રંથિમાંથી થાઈરોક્સિન નામનો અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય છે,જે બનાવવા આયોડિન જરૂરી છે.જો આયોડિન પૂરતા પ્રમાણમાં ન મળે તો થાઈરોક્સિન ઉત્પન્ન ન થાય જેના કારણે ગોઇટર નામનો રોગ થાય છે.

(3) એડ્રિનલ ગ્રંથિ :
ઉત્તર : એડ્રિનલ ગ્રંથિ રુધિરમા ક્ષાર ની માત્રાને સંતુલનમાં રાખતો અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરે છે. આ ઉપરાંત આ ગ્રંથિમાંથી સ્રાવ પામતો ઐડિનાલિન નામનો અંત:સ્રાવ ગુસ્સો,ચિંતા તથા ઉત્તેજનાની અવસ્થામાં તણાવની સ્થિતિને નિયંત્રણમાં રાખવાનું કાર્ય કરે છે.

(4) શુક્રપિંડ :
ઉત્તરઃ શુક્રપિંડ ટેસ્ટેસ્ટેરોન નામનો જાતીય અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરે છે.જે છોકરામાં દાઢી-મૂછ ઉત્પન્ન કરે છે.

(5) અંડપિંડ :
ઉત્તર : અંડપિંડમાં ઉત્પન્ન થતો ઇસ્ટ્રોજન નામનો જાતીય અંતઃસ્ત્રાવ છોકરીનોમાં સ્તનગ્રંથિનો વિકાસ કરે છે.

76. કારણ આપો : પિટયુટરી ગ્રંથિને સર્વોપરી ગ્રંથિ કહી શકાય.
ઉત્તર : પિટ્યુટરી ગ્રંથિ મગજમાં આવેલી ગ્રંથિ છે,જે વિવિધ અંતઃસ્ત્રાવો ઉત્પન્ન કરે છે.આ પૈકી અમુક અંત : સ્ત્રાવ થાઈરોઇડ અને એડિનલ ગ્રંથિને અનુક્રમે થાઇરોક્સિન અને એડિનાલિન અંતઃસ્ત્રાવ મુક્ત કરવા આદેશ આપે છે. વળી જનનપિંડો દ્વારા ઉત્પન્ન થતા જાતીય અંતઃસ્ત્રાવોનું નિયમન પણ પિટ્યુટરી ગ્રંથિમાંથી અવતા અંતઃસ્ત્રાવ વો થાય છે.આથી જ પિટટ્યુટરી ગ્રંથિને સર્વોપરી ગ્રંથિ કહી શકાય.

77.કાયાંતરણ એટલે શું? ઉદાહરણ દ્વારા સમજાવો.
ઉત્તર : ડીમ્ભમાંથી પુખ્ત પ્રાણી સ્વરૂપમાં રૂપાંતરને કાષાંતરણ કહે છે.રેશમના કીડાનું લારવામાંથી વયસ્ક પ્રાણીમાં રૂપાંતર તેમજ ડીમ્ભમાંથી બાળ દેડકામાં રૂપાંતર એ કાયાંતરણ જ છે. કાયાંતરણમાં પણ અંતઃસ્ત્રાવો અગત્યનો ભાગ ભજવે છે.

78.રેશમના કીડાને વયસ્ક ફૂદામાં રૂપાંતરિત થવા માટે____અંતઃસ્ત્રાવની જરૂર પડે છે.
ઉત્તર : કીટ

79.કીટ અંતઃસ્ત્રાવનું કાર્ય ઉદાહરણ સાથે સમજવો.
ઉત્તર : કીટકોમાં ઈયળમાંથી વયસ્ક કીટકમાં રૂપાંતર થવાની ક્રિયાને કાયાંતરણ કહે છે.કીટકોમાં કાયોતરણનું નિયંત્રણ કીટ અંત:સ્રાવ દ્વારા થાય છે. જો આ અંત:સ્રાવ ન સ્ત્રવે તો ઇયળ કીટકમાં રૂપાંતરિત થતી નથી.

80.દેડકામાં થાઇરોઇડ ગ્રંથિનું મહત્વ સમજાવો.
ઉત્તર : દેડકામાં કાયાંતરણનું નિયમન,દેડકામાં રહેલ થાઇરોઇડ ગ્રંથિમાંથી ઝવતા અંતઃસ્રાવ થાઇરોક્સિન વડે થાય છે.આ થાઇરોક્સિનનો યોગ્ય માત્રામાં સ્ત્રાવ થતા ટેડપોલનું પુખ્ત દેડકામાં રૂપાંતરણ પોગ્ય રીતે થાય છે,પરંતુ જો આયોડિનના અભાવે થાઇરોક્સિનનો સ્રાવ ન થાય તો ટેડપોલનું પુખ્ત દેડકામાં રૂપાંતર થતું નથી.

81.સંતુલિત આહાર એટલે શું?
ઉત્તર : જે ખોરાકમાં પ્રોટીન,કાર્બોદિત,ચરબી,વિટામીન અને ખનીજ ક્ષારોની પર્યાપ્ત માત્રામાં હાજરી હોય તેને સંતુલિત આહાર કહે છે.

82.દૂધ પોતે એક સંતુલિત આહાર છે. (✔ કે X)
ઉત્તર : ✔

83. લોહતત્વની અગત્યતા સમજાવો.
ઉત્તર : લોહતત્ત્વ એ રુધિરના એક ઘટક એવા રક્તકણમાં આવેલા હિમોગ્લોબીનના બંધારણમાં જરૂરી છે. હિમોગ્લોબીન શ્વસન વાયુનું વહન કરે છે. લોહતત્ત્વની ઊણપથી પૂરતા પ્રમાણમાં હિમોગ્લોબીન બનતું નથી તેથી એનિમિયા થાય છે.

84.આયર્નથી ભરપૂર ખોરાક જણાવો.

ઉત્તર : લીલા પાંદડાવાળા શાકભાજી,ગોળ,માંસ,સંતરા,આમળાં

85.પ્રોટીન આપતા ખાદ્ય પદાર્થોનાં નામ લખો.
ઉત્તર : દૂધ,કઠોળ,માંસ

86. ચરબી આપતા ખાદ્ય પદાર્થો જણાવો.
ઉત્તર : ઘી,તેલ,માંસ,ઇંડા

87.કિશોરો માટે સમતોલ આહાર જરૂરી છે. સમજાવો .
ઉત્તર : તરુણાવસ્થામાં તરુણો એટલે કે કિશોરોનો શારીરિક વિકાસ થતો હોય છે.આ અવસ્થામાં તેમની ઊંચાઈમાં વધારો થાય છે.ખભા પહોળા બને છે.આ દરમ્યાન શરીરને જરૂરી પોષકતત્ત્વો યોગ્ય પ્રમાણમાં મળી રહે તે ખુબ જ જરૂરી હોય છે.સંતુલિત આહારમાં દરેક પોષક તત્ત્વો યોગ્ય પ્રમાણમાં હોય છે.આવો ખોરાક ખાવાથી શારીરિક અને માનસિક સ્વાસ્થ સારું જળવાઈ રહે છે.તેમજ શારીરિક વિકાસ પણ યોગ્ય રીતે થાય છે. આથી,કિશોરો માટે સમતોલ આહાર જરૂરી છે.

88.તરુણોએ તેઓ શું ખાઈ રહ્યા છે તેના વિશે સચેત રહેવું જોઈએ , કારણ કે .....
ઉત્તર : શરીરમાં થઈ રહેલ તીવ્ર વૃદ્ધિ માટે ઉચિત ખોરાકની આવશ્યકતા હોય છે .

89. નીચેનામાંથી કયો ખોરાક તરુણો માટે ઉચિત છે?
(A) ચિપ્સ,નૂડલ્સ,કોકાકોલા
(B) રોટલી,દાળ,શાકભાજી
(C) ભાત,નૂડલ્સ,બર્ગર
(D) શાકાહારી ટિક્કી, ચિપ્સ તથા લેમન પીણું

ઉત્તર : (B) રોટલી,દાળ,શાકભાજી

90.કારણ આપો : ચિપ્સ અને પેકેટ ફૂડ એ નિયમિત ભોજનનો ભાગ ન હોવો જોઈએ.
ઉત્તર : ચિપ્સ અને પેકેટ ફૂડ સ્વાદમાં તો સ્વાદિષ્ટ હોય છે,પરંતુ તેમાં પોષકતત્ત્વોની માત્રા પૂરતા પ્રમાણમાં હોતી નથી.વળી,સારા સ્વાથ્ય માટે ભોજનમાં બધા જ પોષકતત્ત્વો પૂરતા પ્રમાણમાં હોય તે ખૂબ જ જરૂરી છે જે ચિપ્સ કે ફૂડ-પેકમાં હોતા નથી.આથી, ચિપ્સ અને પેકિંગ ફૂડ એ નિયમિત ભોજનનો ભાગ ન હોવો જોઈએ.

91.કારણ આપો દરરોજે શારીરિક વ્યાયામ કરવો જોઈએ.
ઉત્તર : દરરોજ કરવામાં આવતા શારીરિક વ્યાયામથી આપણા શરીરના અંગો યોગ્ય રીતે કાર્ય કરે છે.મેદસ્વી લોકોમાં મેદનું પ્રમાણ ઘટાડે છે.લોહીનું પરિભ્રમણ સારું થતાં દરેક અંગને પૂરતા પ્રમાણમાં લોહી અને ઓક્સિજન યોગ્ય પ્રમાણમાં મળે છે.આમ,શરીરની તંદુરસ્તી જાળવવા દરરોજે શારીરિક વ્યાયામ કરવો જોઈએ.

92.કારણ આપો ડ્રગ્સ (નશાકારક પદાર્થો) થી દૂર રહેવું જોઈએ.
ઉત્તર : ડ્રગ્સ એટલે કે નશાકારક પદાર્થોના સેવનથી શરૂઆતમાં સારું લાગે છે,નશો કરનાર વ્યક્તિ પોતાને તણાવમુક્ત અનુભવે છે.પરંતુ ધીમે ધીમે તેને આ નશાની ટેવ પડી જાય છે.તે નશો ન કરે તો બેચેની અનુભવે છે અને ઘણી વખત તો તે તેનું માનસિક સંતુલન પણ ખોઈ બેસે છે.લાંબા ગાળે આ ડ્રગ્સ તેના શરીરના અંગોને ખૂબ જ નુકસાન પહોંચાડે છે.આથી જ આવા નુકસાનકારક ડ્રગ્સથી હંમેશાં દૂર રહેવું જોઈએ.

93.AIDS શું છે? તે શાના કારણે થાય છે? કેવી રીતે ફેલાય છે?

ઉત્તર : AIDS એટલે કે એક્વાયર્ડ ઇમ્યુનોડેફિસિયન્સી સિન્ડ્રોમ એક ચેપી બીમારી છે.આ રોગ HIV એટલે કે હ્યુમન ઇમ્યુનોડેફિસિયન્સી વાઇરસના સંક્રમણથી થાય છે. આ વાઇરસ AIDS ધરાવતા વ્યક્તિના શરીરમાંથી બીજા સ્વસ્થ વ્યક્તિના શરીરમાં દાખલ થઈને તેને બીમાર કરે છે. AIDS મુખ્યત્વે AIDS ધરાવતા વ્યક્તિ સાથે અસુરક્ષિત જાતીય સંપર્ક બનાવવાથી ફેલાય છે. આ ઉપરાંત HIV ગ્રસ્ત રૂધિરના ઉપયોગથી કે HIV ગ્રસ્ત વ્યક્તિએ ઉપયોગમાં લીધેલ સીરિજ વડે,તેમજ રોગી માતા દ્વારા સંતાનમાં દૂધ દ્વારા ફેલાઈ શકે છે.

Related Posts

Subscribe Our Newsletter